Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

યોગ સંવાદ : યોગા દ્વારા દેશના ચારિત્ર્ય ઘડતર માટે ભારતીય વિદ્યા ભવન ... ન્‍યુયોર્ક મુકામે ૧ જુલાઇ ર૦૧૯ ના રોજ યોજાનારો પ્રોગ્રામ

   ન્‍યુયોર્કઃ અમેરિકામાં ભારતીય વિદ્યા ભવન USA કોન્‍સ્‍યુલેટ જનરલ ઓફ ઇન્‍ડિયા ન્‍યૂયોર્ક તથા ભકિત સેન્‍ટર ન્‍યૂયોર્કના સંયુકત ઉપ્રકમે ૧ જુલાઇ ર૦૧૯ સોમવારના રોજ એન ઇવનીંગ ઓફ ફિલોસોફી અંતર્ગત યોગા દ્વારા દેશના ચારિત્ર્ય ઘડતર માટે યોગ સંવાદ કાર્યક્રમ યોજાશે.

રોમાન્‍ટી ઓડીટોરીયમ ભારતીય વિદ્યાભવન USA ૩૦પ, સાતમો એવન્‍યુ ૧૭ મો માળ, ન્‍યુયોર્ક મુકામે યોજાનારા આ પ્રોગ્રામનો સમય સાંજે ૬.૩૦ કલાકનો રાખવામા આવ્‍યો છે. બાદમાં રાત્રિના ૮-૩૦ કલાકે ડીનરનું  આયોજન કરાયું છે.

આ પ્રોગ્રામમાં પૂ. ગૌર ગોપાલદાસ હાજર રહી માર્ગદર્શન આપશે તેવું ભારતીય વિદ્યાભવન USA ની યાદી જણાવે છે.

(10:36 pm IST)