Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

છેલ્લા ૨ વર્ષમાં પાકિસ્તાની નાગરિકોને અપાયેલા વીઝાની સંખ્યા ૮૭૬૬૯ઃ બાંગલાદેશી નાગરિકોને વિવિધ શ્રેણી હેઠળ અપાયેલા વીઝાની સંખ્યા ૨૩ લાખ ઉપરઃ લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં માહિતી આપતા ગૃહ રાજયમંત્રી

ન્યુ દિલ્હીઃ છેલ્લા  ર વર્ષમાં મોદી સરકારે પાકિસ્તાની નાગરિકોને વિવિધ શ્રેણીમાં આપેલા વીઝાની સંખ્યા ૮૭૬૬૯ થવા જાય છે. જ્યારે બાંગલાદેશી નાગરિકોને અપાયેલા વીઝાની સંખ્યા ૨૩ લાખ જેટલી છે. તેવું લોકસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જણાવાયું હતું.

સાંસદ વિષ્ણુ દયાલ શર્માએ ગૃહમંત્રીને પૂછેલા સવાલના જવાબમાં ઉપરોકત માહિતી જાણવા મળી હતી. ઉપરાંત વીઝાની  મુદત પુરી થઇ ગયા પછી પણ રોકાઇ જતા આ વિદેશીઓ ઉપર નજર રાખવામાં આવે છે. તેવું ગૃહ રાજયમંત્રીએ જણાવ્યું હતું.

(8:43 pm IST)