Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

" આમાં કોરોનાની મહામારી ક્યાંથી અટકે ? " : માત્ર ભારતમાં જ નહીં ફ્રાન્સ ,ફ્લોરિડા ,કેરોલિના ,સહિતના સ્થળો ઉપર પણ લોકડાઉનની ગંભીરતાનો અભાવ

ન્યુદિલ્હી : વિશ્વમાં કોરોના વાયરસે 16 હજાર ઉપરાંત લોકોના મોત નિપજાવ્યા છે તથા 3 લાખ 80 હજારથી વધુ લોકો જેની અસર હેઠળ છે તેવા સંજોગોમાં તેનો વ્યાપ અટકાવી દેવા દરેક દેશોમાં લેવાઈ રહેલા લોકડાઉન જેવા પગલાંને જોઈએ તેવી સફળતા મળતી નથી.માત્ર ભારત જ નહીં ફ્રાન્સ ,ફ્લોરિડા ,કેરોલિના ,સહિતના સ્થળોએ લોકો બિન્દાસ પણે ઘરની બહાર નીકળતા જોવા મળ્યા છે.તેમજ દરિયા કિનારે વેકેશનની મોજ માણતાં પણ જોવા મળ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:08 am IST)