Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ભારતની મોદી સરકાર આર્થિક પ્રશ્નો ઉપર ધ્યાન આપવાને બદલે રાજકીય પ્રશ્નોમાં વધુ મશગુલ : ભારતમાં ઘટેલા જીડીપી અને મંદી અંગે આર બી આઇ પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું મંતવ્ય

શિકાગો : અમેરિકાની ટીવી ચેનલ બ્લુમબર્ગને આપેલા ઇન્ટરવ્યૂમાં આર બી આઇ પૂર્વ ગવર્નર તથા શિકાગો યુનિવર્સીટી પ્રોફેસર રઘુરામ રાજને જણાવ્યું હતું કે ભારતમાં સ્પષ્ટ બહુમતી સાથે ચૂંટાઈ આવેલી મોદી સરકાર આર્થિક પ્રશ્નો ઉપર ધ્યાન આપવાની બદલે રાજકીય પ્રશ્નોમાં વધુ મશગુલ છે.પરિણામે દેશમાં જીડીપી  નીચો ગયો છે તેમજ મંદી જોવા મળી રહી છે.
આ માટે તેમણે નોટબંધી ,જીએસટીમાં ફેરફાર ,સહિતની બાબતોને જવાબદાર ગણાવી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:54 pm IST)