Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

UK માં પત્‍નીની હત્‍યા કરવા બદલ જેલસજા ભોગવી રહેલા ભારતીય મૂળના હરપ્રિત ઔલખને અમૃતસરની જેલમાં ટ્રાન્‍સફર કરાશેઃ ર૦૦૯ ની સાલમાં છુટાછેડા મુદે પત્‍ની ગીતાની હત્‍યાના આરોપસર ર૮ વર્ષની જેલ સજા થઇ હતી

લંડનઃ  યુ.કે. માં પત્‍નીની હત્‍યા કરવાના આરોપસર ર૦૧૦ ની સાલથી  ર૮ વર્ષની જેલસજા ભોગવી રહેલા ભારતીય મૂળના હરપ્રિત ઔલખને તેની ઇચ્‍છા મુજબ  ભારત ખાતેની જેલમાં મોકલી દેવાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

હરપ્રિતએ તેની પત્‍ની ગીતા ઔલખની ર૦૦૯ ની સાલમાં છુટાછેડા મુદે હત્‍યા કરી હતી. તેથી ર૦૧૦ ની સાલથી તે યુ.કે. ની જેલમાં કેદ છે હવે તેને મંગળવારે ભારત લવાશે જયાં પંજાબ પોલીસ દિલ્‍હી જઇ તેને અમૃતસર ડીસ્‍ટ્રીકટ જેલમાં ધકેલી દેશે.

(9:12 pm IST)