Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

અમેરિકાના ન્યૂજર્સીમાંજ 6 જુલાઈ શનિવારના રોજ રથયાત્રા : શ્રી સત્યનારાયણ ધામ મંદિરના ઉપક્રમે યોજાનારી અષાઢી બીજ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી, તથા સુભદ્રાજીનાં રથને ખેંચવાનો લહાવો

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : અમેરિકામાં શ્રી સત્યનારાયણ ધામ મંદિર જર્સી સીટી ન્યૂજર્સીના ઉપક્રમે સતત આઠમાં વર્ષે અષાઢી બીજ રથયાત્રાનું આયોજન કરાયું છે.

 6 જુલાઈ શનિવારના રોજ સાંજે 6 વાગ્યાથી શરૂ થનારી આ રથયાત્રા જર્સી સિટીના નૂવાર્ક એવન્યુના ઇન્ડિયા બજારના મુખ્ય માર્ગ પર ફરીને શ્રી સત્યનારાયણ ધામ મંદિર ,3035 ,કેનેડી બુલેવર્ડ પર આવશે , યાત્રા દરમિયાન બુંદી ,મગ ,જાંબુના પ્રસાદનું વિતરણ થશે.યાત્રા સમાપ્તિ બાદ મહાપ્રસાદનું વિતરણ થશે.વધુ માહિતી માટે પંડિતજીનો કોન્ટેક ન.201-620-0890 દ્વારા સંપર્ક કરી શકાશે

(12:19 pm IST)