Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

યુ.એસ.માં શ્રીનાથધામ હવેલી, મેરીલેન્ડ મુકામે ૩૦ એપ્રિલ મંગળવારે ''મહાપ્રભુજી પ્રાગટય દિન'' ઉજવાશેઃ વૈશ્નવાચાર્ય શ્રી જયદેવલાલજી મહોદયશ્રી (કડી-અમદાવાદઃ હાજરી આપશે

મેરીલેન્ડઃ યુ.એસ.માં શ્રીનાથધામ હવેલી ૫૨૧૧, બુકવિલ્લે રોડ, ગૈધર્સબર્ગ મેરીલેન્ડ મુકામે ૩૦ એપ્રિલ ૨૦૧૯ મંગળવારના રોજ ''મહાપ્રભુજી પ્રાગટય દિન'' ઉજવાશે.

૨૮ એપ્રિલથી ૩૦ એપ્રિલ ૨૦૧૯ દરમિયાન થનારી ત્રિદિવસિય ઉજવણીમાં વૈશ્નવાચાર્ય શ્રી જયદેવ લાલજી મહોદયશ્રી (કડી.અમદાવાદ) હાજરી આપશે.

ઉજવણીનો સમય ૨૮ એપ્રિલ રવિવારે બપોરે ૪ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી ૨૯ એપ્રિલ સોમવારે બપોરે ૪ થી ૭-૩૦ વાગ્યા સુધી તથા પ્રાગટય દિન ૩૦ એપ્રિલ મંગળવારે સમય સાંજે ૫ વાગ્યાથી ૭-૩૦ વાગ્યા સુધીનો રહેશે.

સ્પોન્સરશીપ તથા મનોરથ માટે શ્રીનાથધામ હવેલીના કોન્ટેક નં.(૨૪૦)૮૦૪-૭૪૭૪ દ્વારા સંપર્ક સાધી શકાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:29 pm IST)