Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

" પપ્પા મને બચાવી લ્યો " : કાબુલમાં આતંકવાદી રાક્ષસોએ 3 વર્ષની માસુમ બાળકીની પણ દયા ન ખાધી : શીખ પરિવારો અફઘાનિસ્તાન છોડવાની પેરવીમાં

કાબુલ : કાબુલ શીખ ગુરુદ્વારામાં બુધવારે થયેલા આતંકી હુમલામાં મોત પામનારા લોકોનો આંકડો 27 સુધી પહોંચી ગયો છે.ઉપરાંત અનેક લોકો ઈજાગ્રસ્ત હાલતમાં છે.આ અગાઉ પણ 2018 ની સાલમાં થયેલા આતંકી હુમલા ઉપરાંત છાશવારે શીખ સહીત લઘુમતી કોમો ઉપર થતા છૂટક હુમલાઓથી વાજ આવી ગયેલા શીખ સહિતના લઘુમતી કોમના લોકો બચી ગયેલા પરિવારની સલામતીને ધ્યાનમાં રાખીને અફઘાનિસ્તાન છોડી દેવાની પેરવીમાં હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:08 pm IST)