Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

વિદેશોમાં વસતા પાકિસ્તાની નાગરિકો મદદરૂપ થાય : કોરોના વાઇરસના 1 હજાર ઉપરાંત પોઝિટિવ કેસ વચ્ચે ઇમરાનખાનની ટહેલ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં કોરોના વાઇરસના 1 હજાર ઉપરાંત પોઝિટિવ કેસ નોંધાયા છે.જેને પહોંચી વળવા સરકાર સક્ષમ ન હોવાથી પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાને વિદેશોમાં વસતા પાકિસ્તાની નાગરિકોને મદદ કરવા ટહેલ નાખી છે.
પાકિસ્તાનના સિંધમાં સૌથી વધુ એટલેકે 410 કેસ નોંધાયા છે.જયારે પંજાબમાં 296 અને બલુચિસ્તાનમાં 110 કેસ નોંધાયા છે.અત્યાર સુધીમાં કુલ 7 લોકોના કોરોના વાઇરસથી મોત થયા છે.સરકારની નબળી આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઇ  ઇમરાનખાને ઉપરોક્ત અપીલ કરી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:25 pm IST)