Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોના વાઇરસના સકંજામાંથી વિશ્વ બહાર આવી જશે : ગભરાયા વિના મક્કમતાથી મુકાબલો જરૂરી : નોબલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાનિક માઈકલ લેવિટની હૈયાધારણ

વોશિંગટન : અમેરિકાની સ્ટેનફોર્ડ  યુનિવર્સીટીના બાયોફિઝિસ્ટ વૈજ્ઞાનિક તથા 2013 ની સાલના નોબલ પ્રાઈઝ વિજેતા માઈકલ લેવિટે કોરોનાથી ફફડી રહેલા વિશ્વના લોકોને હૈયાધારણ આપતા જણાવ્યું છે કે આ વાઇરસ તમે માનો છો તેટલો ખતરનાક નથી.મક્કમતાથી અને કડક સંયમથી તે કાબુમાં આવી શકે છે.લોકો ગભરાયા વિના તેનો સામનો કરે તથા રક્ષણ માટેની સુચનાઓનો અમલ કરે તો તેને મહાત કરી શકાશે.

(12:28 pm IST)