Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

રોમમાં ફસાયેલા ભારતીયોને વતનમાં લાવવા એર ઇન્ડિયા એરક્રાફટ મોકલશે

ન્યુદિલ્હી : વિશ્વભરમાં કોરોના વાઇરસના કહેરને કારણે વિદેશોમાં અનેક ભારતીયો ફસાઈ ગયા છે.જેઓ માટે જે તે દેશના ભારતીય હાઈ કમિશન દ્વારા આશ્રયની વ્યવસ્થા કરાઈ રહી છે.તેમજ ભારત સરકારે ગુરુવારે કરેલી જાહેરાત મુજબ 22 માર્ચથી વિદેશોથી આવતી ઉંડાણોને લેન્ડિંગ કરવા દેવાશે નહીં તેવા સંજોગોમાં આજ 21 માર્ચના રોજ બપોર પછી એર ઇન્ડિયાએ રોમમાં ફસાયેલા ભારતીયોને વતનમાં લાવવા માટે એરક્રાફ્ટ મોકલવાનો નિર્ણય કર્યો છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

(12:57 pm IST)