Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

પાકિસ્‍તાનની વધુ એક આડોડાઇઃ ભારતની કોન્‍સ્‍યુલ જનરલ કચેરીના અધિકારી અજય બસારિયાને શીખ ગુરૂદ્વારામાં દર્શન કરવા જતા રોકયા

ઇસ્‍લામાબાદઃ પાકિસ્‍તાન ખાતેના ભારતની કોન્‍સ્‍યુલ જનરલ કચેરીના અધિકારી શ્રી અજય બિસારીયાને ગઇકાલ શુક્રવારે રાવલપીંડી પાસે આવેલા ગુરૂદ્વારા પંજા સાહિળમાં દર્શન કરવા જતા રોકવાની ઘટના બની છે.

પાકિસ્‍તાનના વિદેશી મંત્રાલય દ્વારા મંજુરી અપાઇ હોવા છતાં તેમને રોકવામાં આવ્‍યા હોવાનો આ વર્ષનો જ આ બીજો બનાવ છે. આ અગાઉ એપ્રિલ માસમા ંપણ શ્રી બિસારીયાને દર્શન કરવા જતા રોકવામાં આવ્‍યા હતા. આ માટે પાકિસ્‍તાનના સત્તાવાળાઓ સુરક્ષાનું કારણ આપી રહ્યા છે. પરંતુ પોતાના જન્‍મદિવસે પત્‍ની સાથે ગુરૂદ્વારામાં દર્શન કરવા જતા રોકવાનું અધિકારીઓનું પગલું અયોગ્‍ય છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:33 pm IST)