Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

પાકિસ્તાન શીખ ગુરુદ્વારાના સંચાલકોએ ભારતીય દૂતાવાસના 2 અધિકારીઓને પ્રવેશ કરતા રોક્યા : ભારત સરકારે નાનકશાહ ફકીર ફિલ્મ પ્રદર્શિત કરવાની અનુમતિ આપતા ગુરુદ્વારા પ્રબંધક કમિટી નારાજ હોવાનું કારણ

પંજાબ : પાકિસ્તાન શીખ ગુરુદ્વારાના સંચાલકોએ  ભારતીય દૂતાવાસના 2 અધિકારીઓને બુધવાર તથા ગુરુવાર એમ સતત 2 દિવસ સુધી પ્રવેશ કરતા રોકી લીધા હતા.જે માટે અધિકારીઓએ વિરોધ વ્યક્ત કરતા સંચાલકોએ જણાવ્યા મુજબ  ભારત સરકારે નાનકશાહ ફકીર ફિલ્મ પ્રદર્શિત કરવાની અનુમતિ આપતા ગુરુદ્વારા પ્રબંધક કમિટી  નારાજ થઇ છે.તેમણે વિશેષમાં જણાવ્યા મુજબ આ અંગે તેઓએ લેખિતમાં ભારત સરકાર સમક્ષ રજુઆત કરી હતી કે ભારતીય અધિકારીઓને અમો ગુરુદ્વારામાં પ્રવેશ નહીં આપીએ.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:44 pm IST)