Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

જે લોકો મતદાન નથી કરતાં તેઓને દેશના નિર્ણયો વિષે બોલવાનો કોઈ હક્ક નથી : અમદાવાદ અમરાઈવાડી બેઠકની પેટા ચૂંટણીમાં અમેરિકાથી ખાસ મતદાન કરવા આવેલા NRI પંચાલ દંપતીનો અભિપ્રાય

અમદાવાદ : ગુજરાતમાં આજ સોમવારે યોજાયેલી 6 બેઠકોની પેટા ચૂંટણીમાં મતદાન કરવા અમેરિકાથી  NRI  પંચાલ દંપતી આવ્યું હતું તથા અમદાવાદની અમરાઈવાડી બેઠક ઉપર મતદાન કર્યું હતું

છેલ્લા 10 વર્ષથી અમેરિકા સ્થાયી થયેલા આ દંપતીએ જણાવ્યું હતું કે જે લોકો મતદાન નથી કરતાં તેઓને દેશના નિર્ણયો વિષે બોલવાનો કોઈ હક્ક નથી તેમણે ઓછા મતદાન બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું તથા પોતાના મતનું મૂલ્ય સમજતા અને મતાધિકારને પોતાની ફરજ ગણતા મૂળ અમેરિકામાં સ્થાયી થયેલા એન.આર.આઇ. દંપતી આજે મતદાન કરવા માટે ખાસ અમદાવાદ આવ્યા હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:02 pm IST)