Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

યુ.એસ.મા મંગલ મંદિર મેરીલેન્ડ મુકામે ૨૮ જુલાઇ ૨૦૧૯ના રોજ વચનામૃતનો લહાવોઃ શ્રી વલ્લભાચાર્યજીની ફિલોસોફી મુજબ તનાવ વગરનું જીવન જીવવા માટે ગોસ્વામી વૃજરાજકુમારજી માર્ગદર્શન આપશેઃ આગામી ૨૪ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાશે

મેરીલેન્ડઃ યુ.એસ.માં મંગલ મંદિર મેરીલેન્ડ મુકામે આગામી ૨૮ જુલાઇ ૨૦૧૯ રવિવારના રોજ ગોસ્વામી વૃજરાજકુમારજી દ્વારા વચનામૃતનું આયોજન કરાયું છે. જેનો સમય જેનો સમય બપોરે ૩.૩૦ થી સાંજના ૫ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જે અંતર્ગત શ્રી વલ્લભાચાર્યજીની ફિલોસોફી મુજબ તનાવ વિનાનું જીવન કેવી રીતે જીવવું તે અંગે માર્ગદર્શન અપાશે.

મંદિરના ઉપક્રમે આગામી ૨૪ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાશે.

વિશેષ માહિતી માટે .. દ્વારા અથવા કોન્ટેક નં.(૩૦૧)૪૨૧-૦૯૮૫ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

(7:03 pm IST)