Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

અમેરિકાના ન્‍યુજર્સીમાં ૬ જુલાઇથી ૮ જુલાઇ ૨૦૧૮ દરમિયાન આંતર રાષ્‍ટ્રિય વૈશ્નવ સંમેલન યોજાયું: સંતો,કોમ્‍યુનીટી અગ્રણીઓ સહિત ૧૦ હજાર ઉપરાંત લોકોએ હાજરી આપીઃ વૈશ્નવાચાર્ય પૂ.વ્રજરાજ મહોદયશ્રીનું ‘‘કોંગ્રેશ્‍નલ રિકોગ્નેશન એવોર્ડ''થી સન્‍માન કરાયું

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ અમેરિકામાં રેરિટન, ન્‍યુજર્સી મુકામે ૬ થી ૮ જુલાઇ દરમિયાન દ્વિતીય આંતરરાષ્‍ટ્રિય વૈશ્નવ સંમેલન યોજાઇ ગયું.

પૂજય વૃજકુમારજી મહોદયશ્રીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલા આ સંમેલનમાં પૂજય સ્‍વામી ચિદાનંદ સરસ્‍વતીજી, BAPSના સ્‍વામી બ્રહ્મવિહારીજી, આચાર્ય લોકેશકુમારજી, સ્‍વામી વિશ્વેશ્વરાનંદજી તથા સંતો અને અગ્રણીઓ સહિત દસ હજાર જેટલા લોકોએ હાજરી આપી હતી.

વિશ્વશાંતિ, સુખ, તથા માનવતાના પ્રચારના સંગઠન માટે યોજાઇ ગયેલા આ સંમેલનમાં પૂજય વૃજરાજકુમારજી મહોદયશ્રીને ‘‘કોંગ્રેશ્‍નલ રિકોગ્નેશન એવોર્ડ'' આપી સન્‍માનિત કરાયા હતા. આ એવોર્ડ ન્‍યુયોર્ક સ્‍ટેટ કોંગ્રેસમેન શ્રી થોમસ સુઓઝી વતી સાઉથ એશિઅન કોમ્‍યુનીટી લીડર તથા નાસાઉ કાઉન્‍ટી પૂર્વ ડેપ્‍યુટી કન્‍ટ્રોલર તથા VYO તથા વૈશ્નવ ટેમ્‍પલ ન્‍યુયોર્કના ચાહક શ્રી દિલીપ ચૌહાણના વરદ હસ્‍તે એનાયત કરાયો હતો.

આ તકે સંતો ઉપરાંત TVAsiaના ચેરમેન શ્રી એચ.આર. શાહ, વૈશ્નવ ટેમ્‍પલ ન્‍યુયોર્કના પ્રેસિડન્‍ટ શ્રી અનિલ શાહ, તેમજ શ્રી વિનોદ શાહ, શ્રી કેન્ની દેસાઇ, ડો.નવિન મહેતા ડો.શીતલ દેસાઇ, ડો.રેણુકા શાહ, સહિતના કોમ્‍યુનીટી અગ્રણીઓએ હાજરી આપી હતી. તેવું TVAsiaના ગૂંજન દેસાઇના ફોટો સૌજન્‍ય સાથે શ્રી દિલીપ ચૌહાણની યાદીમાં જણાવાયું છે.

(11:44 pm IST)