Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

પાકિસ્તાન દૂતાવાસ કચેરીને સ્ટાફ અડધો કરી નાખવાની ભારત સરકારની સૂચના : 2 અધિકારીઓ જાસૂસી કરતા પકડાયા હોવાથી લેવાયેલો નિર્ણય : પાકિસ્તાન ખાતેની ભારતની દૂતાવાસ કચેરીનો સ્ટાફ પણ 50 ટકા કરી નખાશે

ન્યુદિલ્હી : ભારત ખાતેની પાકિસ્તાન હાઇ કમિશન ઓફિસના 2 અધિકારીઓ આતંકવાદી કનેક્શન ધરાવતા હોવાનું ખુલ્યા બાદ ,તેમજ હાલમાં બોર્ડર ઉપર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તંગ સંબંધોને ધ્યાને લઇ ભારત સરકારે પાકિસ્તાન હાઇ કમિશન કચેરીને સ્ટાફની સંખ્યામાં 50 ટકા ઘટાડો કરી નાખવાની સૂચના આપી છે.
સાથોસથ પાકિસ્તાન ખાતેની ભારતની હાઇ કમિશન કચેરીનો સ્ટાફ પણ 50 ટકા કરી નાખવામાં આવશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:51 pm IST)