Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

મલેશિયાની મિનીસ્‍ટ્રીમાં ભારતીય મૂળના ૨ આગેવાનોએ સ્‍થાન મેળવ્‍યું: શીખ અગ્રણી શ્રી ગોવિંદસિંહ દેવને બ્રોડકાસ્‍ટ એન્‍ડ મલ્‍ટીમિડીયા તથા શ્રી એમ.કુલાસેગરનને હયુમન રિસોર્સીસ ડીપાર્ટમેન્‍ટ મિનીસ્‍ટર બનાવાયા

કુઆલાલંપુરઃ મલેશિયાની મિનીસ્‍ટ્રીમાં સૌપ્રથમવાર ભારતીય મૂળના શીખ આગેવાન શ્રી ગોવિંદસિંહ દેવએ સ્‍થાન મેળવ્‍યું છે તેમને બ્રોડકાસ્‍ટ એન્‍ડ મલ્‍ટી મિડીયા મિનીસ્‍ટર બનાવાયા છે.

મલેશિયામાં ગઠબંધન દ્વારા રચાયેલી સરકારમાં કુલ ૨ ભારતીયોએ સ્‍થાન મેળવ્‍યું છે.જેમાં શ્રી દેવ ઉપરાંત એમ.કુલા સેગરનનો સમાવેશ થાય છે જેઓને માનવ સંશાધન મિનીસ્‍ટર બનાવાયા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:12 pm IST)