Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

‘‘વિશાલ ભગવતી જાગરણ'': અમેરિકામાં ‘‘મા દુર્ગા પરિવાર'' તથા ‘‘એવરગ્રીન કલ્‍ચરલ એશોશિએશન''ના સંયુક્‍ત ઉપક્રમે ૨૪ માર્ચ શનિવારે સાન જોસ, કેલિફોર્નિયા મુકામે કરાયેલું આયોજનઃ તમામ માટે વિનામુલ્‍યે પ્રવેશ

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ‘‘મા દુર્ગા પરિવાર'' તથા ‘‘એવરગ્રીન કલ્‍ચરલ એશોશિએશન''ના સંયુક્‍ત ઉપક્રમે આગ્રામી એપ્રિલ માસથી દર મહિનાના બીજા શુક્રવારે ‘‘વિશાલ ભગવતી જાગરણ'' યોજાશે.

૨૬૫૦, એબોર્ન રોડ, સાન જોસ, કેલિફોર્નિયા મુકામે આ જાગરણની પ્રથમ શરૂઆત ૨૪ માર્ચ ૨૦૧૮ શનિવારથી થશે. જેનો સમય સાંજે ૭ વાગ્‍યાથી રાત્રિના ૧૧-૫૯ વાગ્‍યા સુધીનો રહેશે. આ વિસ્‍તારમાં આવા જાગરણનું આયોજન સૌપ્રથમવાર થઇ રહ્યું છે. જેમાં તમામ માટે વિનામુલ્‍યે પ્રવેશ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(9:59 pm IST)