Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

અમેરિકાના ન્યુજર્સી સ્થિત ઇન્દુમતિબેન યશવંતરાય યાજ્ઞિકનું દુઃખદ અવસાનઃ ર૦ નવે.ના રોજ અંતિમ શ્વાસ લીધાઃ સ્મશાનયાત્રા આવતીકાલ ર૩ નવે. ર૦૧૮ ના રોજ

 (દિપ્તીબેન જાની દ્વારા ) ન્યુજર્સી : છેલ્લા રપ વર્ષથી અમેરિકામાં સ્થાયી  થયેલા ભાવનગરના વતની ઇંદુમતિબેન યશવંતરાય યાજ્ઞિકનું ર૦ નવે. ર૦૧૮ ના રોજ દુઃખદ અવસાન થયુ છે.

તેમનો જન્મ ર૩ ઓકટો. ૧૯૩૪ ના રોજ થયો હતો. શ્રી યશવંતરાય યાજ્ઞિક સાથે ૬૧ વર્ષનું લગ્નજીવન ભોગવી તેઓ તેમના પતિ શ્રી યશવંતભાઇ તથા પુત્રીઓ સુશ્રી સ્મિતા ત્રિવેદી તથા ર્ડા. છાયા દવે તથા ૪ ગ્રાન્ડ ચિલ્ડ્રન સહિતના વિશાળ પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે.

તેઓ ન્યુજર્સીના સુવિખ્યાત કોમ્યુનીટી વર્કર શ્રી દિપક ત્રિવેદીના મધર ઇન લો છે. સદગતની સ્મશાનયાત્રા આવતીકાલ ર૩ નવે.ના રોજ સવારે ૯-૩૦ થી ૧૦-૩૦ દરમિયાન યોજાશે. બાદમાં ૧૧ વાગ્યે મુનરેસ હોલ ફોર ફયુનરલ્સ ૧પ૯૧ આલ્પ્સ રોડ, વાયને ન્યુજર્સી મુકામે અગ્નિદાહ અપાશે.

વિશેષ વિગત માટે  શ્રી દિપક ત્રિવેદીનો કોન્ટેક નં. 732-822-2008  દ્વારા સંપર્ક સાધી શકાશે.

(11:12 pm IST)