Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

" ધાર્મિક પ્રચાર કરવા જતા જીવ ગુમાવ્યો " : આંદામાન નિકોબારના આદિવાસી વિસ્તારમાં હત્યાનો ભોગ બનેલો અમેરિકન યુવાન ધર્મ પ્રચાર માટે ગયો હતો

આંદામાન : આંદામાનના જંગલોમાં આદિવાસી પ્રજા વચ્ચે ધર્મનો પ્રચાર કરવા ગયેલા અમેરિકન યુવાનની આ પ્રજાએ તીર મારી હત્યા કરી નાખતા થયેલી તપાસમાં જાણવા મળ્યા મુજબ આ યુવાન ધર્મનો પ્રચાર કરવા માટે ગયો હતો.તેણે આદિવાસી લોકો સાથે મિત્રતા કરવાની કોશિશ કરી હતી.એટલુંજ નહિ આ લોકો માટે તે ફૂટબોલ,મેડિકલ કીટ સહિતની વસ્તુઓ પણ લઇ ગયો હતો.

 જોકે છેલ્લા 60 હજાર જેટલા વર્ષોથી જંગલમાં વસતી આ પ્રજાને અન્ય કોઈ બહારની દુનિયા સાથે લેવા દેવા નથી.તેઓ હજુ પણ જંગલી અવસ્થામાં જીવે છે.તેથી આ વિસ્તાર પ્રવેશ માટે નિષેધ કરી દેવાયો છે.પરંતુ મૃતક અમેરિકી યુવાન માછીમારોની મદદ લઈને હોડીમાં બેસી જંગલમાં ગયો હતો.

(12:26 pm IST)