Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

સુભાષચંદ્ર બોઝના અસ્થિ ટોકિયોથી ભારત લાવવા માટે અમે મદદરૂપ થઇશુઃ યુ.કે.ની પાર્લામેન્ટના ભારતીય મૂળના ર૦ સાંસદો વતી શ્રી કૈથ વાઝની ખાત્રી

લંડનઃ યુ.કે. સ્થિત ભારતીય મૂળના પાર્લામેન્ટ મેમ્બર શ્રી કૈથ વાઝએ જણાવ્યુ છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝના અસ્થિ ટોકિયોથી ભારત લઇ આવવામા યુ.કે. ના તમામ ભારતીય મૂળના પાર્લામેન્ટ મેમ્બર્સ મદદરૂપ થવામાં ખુશી  અનુભવશે.

યુ.કે.મા ભારતીય મૂળના ર૦ સાંસદો છે. જેઓ ઇચ્છે છે કે  ભારતના સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્ર બોઝના અસ્થિ ભારત લાવવામાં આવે. શ્રી કૈથએ નહેરૂ સેન્ટર ખાતે ઉપરોકત મંતવ્ય રજૂ કર્યુ હતુ.

(9:40 pm IST)