Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

નેપાળમાં ભગવાન બુદ્ધની 5 મૂર્તિઓ ખંડિત : લુમ્બિની નજીક આવેલા રૂપાંદેહી જિલ્લાના તિલોત્તમા નગરનો બનાવ

કાઠમંડુ : નેપાળના પાટનગર કાઠમંડુથી 235 કિલોમીટર દૂર તથા ભગવાન બુદ્ધના જન્મસ્થાન લુમ્બિની નજીક આવેલા રૂપાંદેહી જિલ્લાના તિલોત્તમા નગરના ચોકમાં મુકાયેલી ભગવાન બુદ્ધની 5 પ્રતિમાઓ કોઈ અજાણ્યા શખ્શો ખંડિત કરી ગયા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.સ્થાનિક સત્તાવાળાઓના જણાવાયા મુજબ દેશની શાંતિ ડહોળવાના મલિન હેતુ સાથે કોઈ અજાણ્યા શખ્સોએ આ કાર્ય કર્યું હોય તેવું લાગે છે.

(12:05 pm IST)