Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

વિશ્વ વ્યાપ્ત કાશ્મીરી પંડિતો આનંદો : પૂરતી સલામતી સાથે વતનમાં ફરીથી વસવાટ કરવાનો માર્ગ મોકળો થશે : ગૃહમંત્રી અમિતભાઇ શાહની મુલાકાતે આવેલા 7 પંડિતોના પ્રતિનિધિ મંડળને તમામ પ્રકારની મદદની ખાતરી આપી

ન્યુદિલ્હી :  1980ના દાયકાની આખરે કશ્મીર ખીણ વિસ્તારમાં ઇસ્લામી આતંકવાદીઓએ સૈકાઓથી આ વિસ્તારમાં વસેલા  પંડિત  પરિવારોને જોરજુલમથી કાઢ્યા હતા. આ આશરે ત્રણ લાખ પંડિત પરિવારો પહેર્યાં કપડે પોતાના જ દેશમાં નિરાશ્રિત થઇ ગયા હતા. અમિત શાહે તેમને નવેસર વસાવવાનું કાર્ય હાલની સરકારના અગ્રતાક્રમનાં કાર્યોમાં હોવાનું આશ્વાસન આપ્યું હતું.તથા અમિત શાહના નિવાસસ્થાને આવેલા સાત સભ્યોના પંડિત પ્રતિનિધિ મંડળને આપેલી મુલાકાત દરમિયન અમિત શાહે એમને  પૂરતી સરકારી મદદની પણ ખાતરી આપી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:56 pm IST)