Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ભારતનું ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ નવા વર્ષમાં NRI ની આવક ઉપર વોચ રાખે તેવી શક્યતા : રિટર્નમાં દર્શાવેલી વધુ પડતી આવક ક્યાંથી આવી તેનો પુરાવો માંગી શકે : બેનંબરી નાણું કાયદેસર કરવા NRI બની જતા ધનિકોને સકંજામાં લેવાનો હેતુ

ન્યુદિલ્હી : તાજેતરમાં ભારત સરકારે બહાર પડેલા નવા વર્ષના બજેટમાં એન.આર આઇ ની બેનંબરી આવક પકડી પાડવા જોગવાઈ કરી લીધી હોવાનું અમુક નિષ્ણાતોના મતે જાણવા મળે છે જે મુજબ રિટર્નમાં દર્શાવેલી આવક વધુ જણાય તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આવકના પુરાવા માંગી શકે છે.
ખાસ કરીને બેનંબરી નાણું કાયદેસરનું કરવા એન આર આઇ બની જતા ભારતીયો નોકરી કે ધંધાની આવક વધુ બતાવતા હોવાનું જણાતાં બજેટમાં આ અંગે ખુલાસો માંગવાની આડકતરી અથવા તો છુપી જોગવાઈ હોવાનું અનુમાન છે.

 

(12:48 pm IST)