Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત શ્રી વાસુદેવભાઈના ફાધર ઈન લો શ્રી કાંતિલાલ શર્માનું નિધન : 85 વર્ષની જૈફ વયે કુદરતી મૃત્યુ પામ્યા : પત્ની ,ત્રણ સંતાનો , ગ્રાન્ડ ચિલ્ડ્રન સહીત વિશાળ પરિવારે છત્રછાંયા ગુમાવી : અંતિમયાત્રા સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન

દિપ્તીબેન જાની દ્વારા,ન્યુજર્સી : યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત શ્રી વાસુદેવભાઈના ફાધર ઈન લો શ્રી કાંતિલાલ શર્માનું 17 ડિસેમ્બર 2020 ના રોજ નિધન  થયું છે. તેઓનું 85 વર્ષની જૈફ વયે કુદરતી મૃત્યુ થયું છે.સદ્દગતની અંતિમયાત્રા સવારે  10 થી 12 વાગ્યા દરમિયાન રિઑટ્ટો ફ્યુનરલ સર્વિસ ખાતે રાખવામાં આવી છે.

29 સપ્ટેમ્બર 1935 ના રોજ જન્મેલા શ્રી કાંતિભાઈ તેમની પાછળ પત્ની સુશ્રી કુસુમબેન શર્મા ,તથા ત્રણ સંતાનો શ્રી કવીન્દ્ર તથા શ્રી સીમા પાઠક ,સુશ્રી રીટા તથા શ્રી જીતેન્દ્ર જોશી ,સુશ્રી રૂચિતા તથા શ્રી વાસુ પટેલ ,તેમજ ગ્રાન્ડ ચિલ્ડ્રન હર્ષ પાઠક ,જુહી પાઠક ,કૃપા પટેલ ,તથા નંદન જોશી સહીત વિશાળ પરિવારને તેમજ વિશાળ ચાહક વર્ગને વિલાપ કરતા છોડી ગયા છે.

તેમણે લો નો અભ્યાસ કરી એલએલબી ની ડિગ્રી મેળવી હતી તથા ઓડિટ ઓફિસર તરીકે માનભેર જવાબદારી સંભાળતા હતા.તેઓ સક્રિય સોશિઅલ વર્કર હતા તથા તે નાતે કોમ્યુનિટીમાં લોકપ્રિય હતા. સમય મળ્યે તેઓ લાંબા વોકિંગનો આનંદ માણી  સક્રિય રહેતા હતા.તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોના દિલમાં તેમનું સ્થાન કાયમ રહેશે.

(12:16 pm IST)