Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

યુ.એસ.ના ન્યુયોર્કમાં ૧૪ નવેં.ના રોજ ''નહેરૂ જયંતિ'' ઉજવાઇઃ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ USA તથા હિન્દુઝ ફોર હયુમન રાઇટસના સંયુકત ઉપક્રમે કરાયેલી ઉજવણીમાં સુશ્રી સુનિતા વિશ્વનાથએ નહેરૂજીના શાંતિના સંદેશને બિરદાવ્યો

ન્યુયોર્કઃ અમેરિકામાં તાજેતરમાં ૧૪ નવેં.૨૦૧૯ના રોજ નેહરૂ જયંતિ ઉજવાઇ ગઇ. ન્યુયોર્ક મુકામે ''હિન્દુઝ ફોર હયુમન રાઇટસ'' તથા ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ USAના સંયુકત ઉપક્રમે કરાયેલી ઉજવણીમાં સુશ્રી સુનિતા વિશ્વનાથએ ઉદબોધન કર્યુ હતું. તથા હિન્દુ સંસ્કૃતિ નફરત નહીં પણ પ્રેમમાં માનતી હોવાનું જણાવ્યું હતું.

હિન્દુઝ ફોર હયુમન રાઇટસના કો-ફાઉન્ડર સુશ્રી સુનિતાએ જવાહરલાલ નહેરૂ, ડો.આંબેડકર, તથા ગાંધીજીના આદર્શોને યાદ કરી નહેરૂ જયંતિ નિમિતે ભારતના સદગત મહાપુરૂષોને શ્રધ્ધાંજલી આપી હતી. તથા નહેરૂજીના શાંતિના સંદેશને યાદ કર્યો હતો. તેમજ ઇશ્વર અલ્લાહ તેરો નામ પંકિતને યાદ કરી વતનની બિનસાંપ્રદાયિકતા  બિરદાવી હતી.

(8:24 pm IST)