Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

સ્વીડનમાં વસતા ગુજરાતીઓએ કાશ્મીરમાં ૩૭૦ ની કલમ રદ થયાનો જશ્ન મનાવ્યો

રાજકોટ : કાશ્મીર રાજયની ૩૭૦ ની કલમ રદ થયાનો જશ્ન દેશભરમાં મનાવાઇ રહ્યો હતો. ત્યારે સ્વીડનમાં વસતા ગુજરાતી પરિવારોએ પણ તેની ખુશી મનાવી હતી. માંગરોળના સત્સંગી સેવક પત્રકાર મનસુખભાઇ એમ. પરમારનો પુત્ર અતુલ પરમાર (બી.ઇ.સીવીલ એન્જી.) અને તેમનો પરિવાર સ્વીડનમાં સ્થાયી થયો છે. આ પરિવારે તેમના મિત્ર સર્કલ સાથે મળી કાશ્મીરમાં કલમ ૩૭૦ દુર થયાની બાબતે મો મીઠા કરી ખુશી મનાવી હતી.

(4:18 pm IST)