Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

હવે દુબઈમાં આવેલ ભારતીય દૂતાવાસની ઓફિસ રજાઓમાં પણ ખુલ્લી રહેશે : નવનિયુક્ત કોન્સ્યુલ જનરલ ડો.અમન પુરીએ કરેલી ઘોષણાં : 1 ઓગસ્ટથી 31 ડિસેમ્બર સુધી અમલ કરાશે

દુબઇ : દુબઈમાં 19 જુલાઈથી ભારતના કોન્સ્યુલ જનરલ તરીકે ડો.અમન પુરીની નિમણુંક થઇ છે.તેમણે વર્તમાન કોવિદ -19 ના સંજોગોને ધ્યાને લઇ દૂતાવાસ  ઓફિસ શનિ-રવિ  તેમજ રજાઓમાં પણ ખુલ્લી રાખવાની ઘોષણા કરી છે.જેથી સ્થાનિક ભારતીયોના પાસપોર્ટ ,વિઝા રીન્યુ કરવાની કામગીરી ચાલુ રહી શકે.

રજાઓના દિવસોમાં ઓફિસ ખુલવાનો સમય સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો રહેશે.જે દરમિયાન ઇમર્જન્સી કામ હાથ ઉપર લેવામાં આવશે.

(1:20 pm IST)