Gujarati News

Gujarati News

News of Sunday, 18th March 2018

યુ.એસ.ના શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ પરામસ ન્‍યુજર્સીમાં ૨૫ માર્ચ રવિવારે રામનવમી તથા શ્રી સ્‍વામિનારાયણ ભગવાનનો પ્રાગટયોત્‍સવ ઉજવાશેઃ સાંસ્‍કૃતિક કાર્યક્રમો, મહાપ્રસાદ, તથા સંતોની કથાવાર્તાઓનો લહાવો

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ, પરામસ ન્‍યુજર્સી મુકામે આગામી ૨૫ માર્ચ ૨૦૧૮ રવિવારના રોજ મર્યાદા પુરૂષોતમ શ્રી રામચંદ્રજી તથા પૂર્ણ પુરષોતમ શ્રી સ્‍વામિનારાયણ ભગવાનનો પ્રાગટય મહોત્‍સવ ઉજવાશે.

આ પ્રસંગે ગુરૂકૂળના બાળક, બાલિકાઓ, યુવાનો, યુવતિઓ સુંદર સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજુ કરશે. કિર્તન ભક્‍તિ તેમજ સંતોની કથાવાર્તાનો પણ લાભ મળશે. બાદમાં મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. તમામ ધર્મપ્રેમી ભક્‍તો ઉત્‍સવનો આનંદ માણે તે માટે આમંત્રણ પાઠવાયુ છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ ગુરૂકૂળની આ ન્‍યુજર્સી સ્‍થિત શાખા છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે. જયાં ભારતીય સંસ્‍કૃતિના તમામ તહેવારો ઉજવાય છે. તેવું શ્રી ચતુરભાઇ વઘાસિયાની યાદી જણાવે છે.

(9:10 pm IST)