Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ટ્રાવેલ બાન તથા વિઝાની મુદત પુરી થઇ જવાથી યુરોપમાં ફસાયેલા ભારતીયોની વહારે હાઇ કમિશન : આશ્રય આપવા માટે દરવાજા ખુલ્લા મૂકી દીધા

લંડન : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસના વ્યાપને અટકાવવા ભારત સરકારે વિદેશોથી આવતી તમામ  ફ્લાઇટ ઉપર પ્રતિબંધ મૂકી દેતા યુરોપમાં અનેક ભારતીયો ફસાઈ ગયા છે.એકબાજુ ટ્રાવેલ બાન ,અને બીજી બાજુ વિઝાની મુદત પુરી થઇ જવામાં હોવાથી આ ભારતીયોને આશ્રય આપવા લંડન સ્થિત ભારતીય ઉચ્ચ આયોગે દરવાજા ખુલ્લા મૂકી દીધા છે.તથા તેઓને આશ્રય આપવાની તૈયારી બતાવી છે. આ માટે info.london@mea.gov.in દ્વારા જાણ કરવાથી મદદ માટે માર્ગદર્શન મળી રહેશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:11 pm IST)