Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

પાકિસ્‍તાની આતંકવાદ વિરૂધ્‍ધ નેપાળમાં દેખાવોઃ પુલવામા હુમલાના શહીદોને શ્રધ્‍ધાંજલી આપતી કેન્‍ડલ માર્ચ યોજાઇઃ ભારતીય દૂતાવાસના કર્મચારીઓએ એક દિવસનો પગાર પુલવામા શહીદ પરિવારોને આપવાની ઘોષણાં કરી

કાઠમંડુઃ નેપાળ ખાતે આવેલા ભારતીય દૂતાવાસના એક સો જેટલા કર્મચારીઓએ પુલવામા શહીદોના પરિવારો માટે એક દિવસનો પગાર આપવાની ઘોષણાં કરી તેઓ ભારતના જવાનો સાથે હોવાની ભાવના વ્‍યક્‍ત કરી હતી.

નેપાળના જુદા જુદા શહેરોમાં પણ નાગરિકોએ પુલવામાં હુમલા વિરૂધ્‍ધ કેન્‍ડલ માર્ચના આયોજનો કર્યા હતા. તથા પાકિસ્‍તાની આતંકવાદને વખોડી કાઢયો હતો અને પુલવામાં શહીદોને શ્રધ્‍ધાંજલી આપી હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:46 pm IST)