Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ USA પરામસ ન્‍યુજર્સીના ઉપક્રમે આવતીકાલ ૬ નવેં. ૨૦૧૮ મંગળવારના રોજ હનુમાનજીનું પૂજન કરાશેઃ ૧૧ નવેં. રવિવારના રોજ દિવાળી ઉત્‍સવ તથા નૂતન વર્ષની ઉજવણી કરાશેઃ સંતોના સાનિધ્‍યમાં લક્ષ્મી પૂજન તથા અન્‍નકૂટ દર્શન અને પ્રસાદનો લહાવો લેવા પાઠવાયેલું જાહેર આમંત્રણ

(દિપ્તીબેની જાની દ્વારા) ન્‍યુજર્સીઃ શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ USA,૨૦૫ સ્‍પ્રિંગ વેલ્લી રોડ, પરામસ ન્‍યુજર્સી મુકામે દિવાળીના દિવસો દરમિયાન આવતીકાલ ૬ નવેં.૨૦૧૮ મંગળવારના રોજ હનૂમાનજીનું પૂજન કરાશે. જેનો સમય સાંજે ૭-૩૦ થી રાત્રિના ૮-૩૦ વાગ્‍યા સુધીનો રહેશે.

૭ નવેં.૨૦૧૮ દિવાળીના દિવસે લક્ષ્મીપૂજન કરાશે. જેનો સમય સાંજે ૭-૩૦ થી રાત્રિના ૯ વાગ્‍યા સુધીનો રહેશે.

અન્‍નકૂટ દર્શન ૧૧ નવેં. રવિવારના રોજ થશે. જેનો સમય સવારે ૧૦ વાગ્‍યાથી બપોરે  ૪-૩૦ વાગ્‍યા સુધીનો રહેશે. તથા દિવાળી ઉત્‍સવની ઉજવણી પણ આ દિવસે કરાશે. જેનો સમય સાંજે ૫ વાગ્‍યાથી ૭-૩૦ વાગ્‍યા સુધીનો રહેશે.

આ તમામ ઉત્‍સવોની ઉજવણી સંતોના સાનિધ્‍યમાં થશે. જેનો લાભ લેવા તથા ૧૧ નવેં.ના રોજ દિવાળી અને નૂતન વર્ષ નિમિતે અન્‍નકૂટના દર્શન તથા પ્રસાદનો લાભ લેવા સહુ ભાવિકોને આમંત્રણ પાઠવાયું છે. તથા નવું વર્ષ સહુને સુખ, શાંતિ, અને સમૃધ્‍ધિમય બને તેવી ભગવાન શ્રી સ્‍વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરાઇ છે. તેવું ગુરૂકૂળની યાદી જણાવે છે. 

(10:10 pm IST)