Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

પાકિસ્તાનમાં પંજા સાહેબ ગુરુદ્વારામાં આગ : સામાન્ય નુકશાન : કોઈ જાનહાની નહીં

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં રાવલપિંડીથી 48 કી.મી.ના અંતરે આવેલા પંજા સાહેબ ગુરુદ્વારામાં બુધવારના રોજ સાંજે વેલ્ડીંગની કામગીરી ચાલતી હતી તે સમયે અચાનક આગ લાગી હતી જોકે કોઈ જાનહાની થઇ નથી પરંતુ બિલ્ડિંગને સામાન્ય નુકશાન થયું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે જગ્યા ઉપર બેસીને ગુરુ નાનક દેવ તપ કરતા હતા ત્યારે પર્વત ઉપરથી કોઈએ તેમના ઉપર શીલા રેડવી હતી જેને ગુરુ નાનક દેવે હાથનો પંજો આડો  ધરી રોકી લીધી હતી  આજે પણ શીલા ત્યાં મોજુદ છે. ત્યારથી જગ્યા પંજા સાહેબ ગુરુદ્વારા તરીકે ઓળખાય છે.

(12:42 pm IST)