Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

પાકિસ્તાનમાં છેલ્લા સાત મહિનામાં ૪૧ યુવતિઓના અપહરણઃ હિન્દુ અગ્રણી શ્રી નિર્મળકુમાર ગોકલાણીએ સરકાર સમક્ષ વ્યથા ઠાલવી યાદી સુપ્રત કરી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં સાત મહિનામાં ૪૧ યુવતિઓના અપહરણ કરાયા હોવાની યાદી હિન્દુ અગ્રણી નિર્મળકુમાર ગોકલાણીએ રજુ કરી છે. તેમણે જણાવ્યું હતું કે ધર્મના નામે અમારી દીકરીઓના અપહરણ ન કરો. તેમના પર બળાત્કાર ન ગુજારો. અમે કયારેય વધારાના હકકો નથી માંગ્યા લઘુમતિ કવોટા હેઠળ બેઠકો પણ નથી માંગતા અમે પણ મુસ્લિમો જેટલા જ દેશપ્રેમી છીએ. તેમની આ વ્યથાને ધ્યાને લઇ સિંધ વિધાનસભામાં આ મામલે ઠરાવ પસાર કરી સમિતિની રચના કરવાનો આદેશ અપાયો છે. તેવું જાણવા મળે છે.

(9:06 pm IST)