Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

''THE ALWARS'': ડો.પી.જયરામન સંકલિત વૈશ્નવ સંતોના પદો રજુ કરતું પુસ્તકઃ આવતીકાલ ૨૦ જુનના રોજ કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા ઓફિસ ન્યુયોર્ક મુકામે લોંચીંગ કરાશે

 

ન્યુયોર્કઃ યુ.એસ.માં ભારતીય વિદ્યાભવન USAના ઉપક્રમે આવતીકાલ ૨૦ જુન ૨૦૧૯ના રોજ ડો.પી.જયરામન સંકલિત વૈશ્નવ સંતોના પદોનું પુસ્તક ''THE ALWARS''નું લોચીંગ કરાશે. જેમાં વૈશ્નવ સંતો રચિત કાબો તથા પદોનું વિવરણ કરાશે.

કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા ઓફિસ ન્યુયોર્ક મુકામે યોજાનારા આ લોન્ચીંગ પ્રોગ્રામનો સમય સાંજના ૬ વાગ્યાનો રાખવામાં આવ્યો છે. જેમાં આમંત્રિતો માટે પ્રવેશ છે.

ભારતના સાંસ્કૃતિક વારસાની ઉજવણી માટે ભારતીય વિદ્યા ભવન USA,વાણી પ્રકાશન, ન્યુ દિલ્હી, તથા કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે યોજાનારા  આ પ્રોગ્રામમાં ભારતના એમ્બેસેડર ડો.ધ્યાનેશ્વર મૂલે, શ્રીમતિ ચંદ્રિકા ક્રિશ્નામુર્થી ટંડન, સ્વામી યુકતાત્માનંદ તથા ન્યુયોર્કના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી તથા સુશ્રી સાધના પરાન્જી હાજરી આપશે. તેવું ભારતીય વિદ્યા ભવન USAની યાદી જણાવે છે.

(8:06 pm IST)