Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

પાકિસ્તાનની જેલમાં ભારતના 337 કેદીઓ : પાકિસ્તાન કહે છે માત્ર 261 : લોકસભામાં માહિતી આપતા વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરન

ન્યુદિલ્હી : આજ બુધવારે લોકસભામાં લેખિત માહિતી આપતા વિદેશ રાજ્યમંત્રી મુરલીધરને જણાવ્યું હતું કે પાકિસ્તાનની જેલમાં ભારતના 337 કેદીઓ છે.પરંતુ પાકિસ્તાન આ સંખ્યા માત્ર 261 બતાવે છે.
તેમણે ઉમેર્યું હતું કે આ 337  કેદીઓ પૈકી 270 કેદીઓ માછીમાર છે. પાકિસ્તાન સાથે ભારતના 83 લાપતા કેદીઓનો  મુદ્દો પણ વિવાદમાં છે. 

(7:49 pm IST)