Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

દિલ્હી હિંસાનો ભોગ બનેલા હિન્દુઓના પરિવારો માટે 1 કરોડ ઉપરાંત રૂપિયા ભેગા થઇ ગયા : 1 કરોડ રૂપિયા ભેગા કરવાનું કપિલ મિશ્રાનું લક્ષ્યાંક 3 દિવસમાં જ પૂર્ણ : NRI મનીષે 10 લાખ રૂપિયા આપ્યા

ન્યુદિલ્હી : દિલ્હી હિંસા અંગે ભડકાઉ ભાષણો કરવા બદલ વિવાદમાં આવી ચૂકેલા ભાજપ અગ્રણી કપિલ મિશ્રાએ આ હિંસામાં મોતનો ભોગ બનેલા 14 હિન્દુઓના પરિવારો માટે ક્રાઉડ ફંડિંગ શરૂ કર્યું હતું.જેને જબ્બર પ્રતિસાદ મળ્યો હતો.1 કરોડ રૂપિયાનો લક્ષ્યાંક પૂર્ણ થવામાં 4 લાખ રૂપિયા ઘટતા હતા તે વખતે NRI  મનીષે 10 લાખ રૂપિયા આપતા માત્ર 3 દિવસમાં જ લક્ષ્યાંક પૂરું થઇ ગયું હતું.જે બદલ કપિલ મિશ્રાએ સહુનો આભાર માન્યો હતો.

(7:47 pm IST)