Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

પાકિસ્તાનના પંજાબ વિશ્વ વિદ્યાલયમાં '' ગુરૂ નાનક પીઠ'' ની સ્થાપના : વિદ્યાર્થીઓ ગુરૂનાનકના ઉપદેશનો અભ્યાસ કરી શકશેઃ ગઇ કાલ ૧૯ ફેબ્રુઆરી ર૦૧૯ ના રોજ કુલપતિ ડો. નિયાઝ અહમદે ઉદઘાટન કર્ર્યુ

પાકિસ્તાનમાં આવેલા પંજાબ વિશ્વ વિદ્યાલયમાં શીખ ધર્મના સ્થાપક ' ગુરૂ નાનક પીઠ ' ની સ્થાપના કરવામાં આવી છે. જેનો હેતુ વિદ્યાર્થીઓ ગુરુ નાનકના ઉપદેશનો અભ્યાસ કરી શકે તેવો છે. પાકિસ્તાનમાં  આ પીઠ સ્થપાયાની સૌ પ્રથમ ઘટના છે.

ગઇ કાલ ૧૯ ફેબ્રુઆરી ર૦૧૯ મંગળવારના રોજ કુલપતિ ડો. નિયાઝ અહમદએ આ પીઠનુ ઉદઘાટન કર્યુ હતુ. તેવુ સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:41 pm IST)