Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

પાકિસ્તાનના પેશાવરમાં શીખ ધર્મગુરૂઓની નિંદાના આરોપી ૪ હિન્દુ પુજારીઓ જામીન ઉપર મુકત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં શીખ ધર્મ ગુરૂઓ વિષે કથિત અપમાન જનક ટિપ્પણી કરવા બદલ પેશાવર પોલીસ ડીપાર્ટમેન્ટએ ૨૩ ઓગ.૨૦૧૯ના રોજ  ૪ હિન્દુ પુજારીઓની ધરપકડ કરી હતી. જેમણે કરેલી નિંદાના કારણે શીખ સમુહ દ્વારા ફરિયાદ નોંધાવાઇ હતી.

આ ચાર હિન્દુ પુજારીઓ શિવનાથ શર્મા, સુરજ કુમાર, રામ પ્રકાશ, તથા કવલનાથ શર્માને કોર્ટએ જામીન પર મુકત કર્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:26 pm IST)