Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

''ઇંગ્લેંડની ધરતી ઉપર અંબામાના નોરતા'': ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શકિત સેન્ટરના ઉપક્રમે લંડનમાં ૨૯ સપ્ટેં.થી ૮ ઓકટો.૨૦૧૯ દરમિયાન ''નવરાત્રિ ઉત્સવ'': પૂજય રાજરાજેશ્વર ગુરૂજીની ઉપસ્થિતિમાં ઉજવાનારા ઉત્સવનું ઉદઘાટન ૨૯ સપ્ટેં.ના રોજ સ્વામી રામદેવજીના હસ્તે

 લંડનઃ યુ.કે.માં ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શકિત સેન્ટરના ઉપક્રમે ૨૯ સપ્ટેં.થી ૮ ઓકટો.૨૦૧૯ દરમિયાન નવરાત્રિ ઉત્સવ ઉજવાશે.

પૂજ્યશ્રી રાજરાજેશ્વર ગુરૂજીની ઉપસ્થિતિમાં ઉજવાનારો આ ઉત્સવ ૨૯ સપ્ટેં રવિવારના રોજ સાંજે ૭ વાગ્યે પૂજય સ્વામી રામદેવજીના હસ્તે ખુલ્લો મુકાશે.

ઉત્સવનો સમય રાત્રે ૮ થી ૧૧ વાગ્યા સુધીનો તથા વીક એન્ડમાં રાત્રે ૮ વાગ્યાથી ૧૨-૩૦ વાગ્યા સુધીનો રહેશે.

હેરો લેઇસર સેન્ટર, બાઇરોન હોલ, ક્રિસ્ટચર્ચ એવન્યુ, હેરો, મિડલસેક્ષ, લંડન મુકામે ઉજવાનારા નવરાત્રિ ઉત્સવની ટિકિટ www.eventbrite.com દ્વારા મળી શકશે.

શરદ પૂર્ણિમા ઉત્સવ ૧૨ ઓકટો.ના રોજ ઉજવાશે તેવું જાણવા મળે છે.

(7:32 pm IST)