Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

યુ.એસ.માં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ ડલ્લાસની પ્રવૃતિઓથી બીજેપી આગેવાનોએ ખુશી વ્યકત કરીઃ સંતોએ આશિર્વાદ આપ્યા

ટેકસાસઃ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ મંદિર, ડલ્લાસ, ટેકસાસ મુકામે બીજેપી લીડર ડો.વિજયા શંકર, શ્રી ઘનશ્યામભાઇ કાકડિયા, સુબોદાસ ગુપ્તા, ગુરૂકુળના શ્રી જગદીશ સુતરીયા, શ્રી બાબુભાઇ બાબરીયા, શ્રી ભરત ગજેરા, શ્રી સુધીરભાઇ સાકરિયા, શ્રી હિતેષ ગોંડલીયા, શ્રી જયસુખભાઇ હિરપરા, તથા સંજયભાઇ માલાણીએ હાજરી આપી હતી. જેઓને સંતોએ મંદિરની પ્રવૃતિઓથી વાકેફગાર કરી આશિર્વાદ આપ્યા હતાં. જેઓ મંદિરની પ્રવૃતિઓ જોઇ ખુશ થયેલ તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાંવે છે.

(10:26 pm IST)