Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

પાકિસ્તાનમાં ગુરુ નાનકદેવની 550 મી જન્મ જયંતિ ઉજવવા માટે તડામાર તૈયારીઓ શરૂ : નવેમ્બર માસમાં નનકાના સાહેબ ખાતે વિશ્વભરમાંથી શીખો ઉમટી પડશે : સ્મારક સિક્કા તથા પોસ્ટ ટિકિટ બહાર પડાશે

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં આવેલું નનકાના સાહેબ ગુરુ નાનકદેવનું જન્મ સ્થાન છે.જ્યાં નવેમ્બર માસમાં ગુરુ નાનકદેવની 550 મી જન્મ જયંતિ ઉજવવા માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઈ છે.વિશ્વભરમાંથી ઉમટી પડનારા શીખોને  ટેન્ટમાં ઉતારો આપવા વ્યવસ્થા કરાશે જેમાં 25 હજાર શીખો રહી શકશે જેઓને સ્થાનિક તિર્થધામોના દર્શન કરવા પણ લઇ જવાશે

આ પ્રસંગે  સ્મારક સિક્કા તથા પોસ્ટ ટિકિટ બહાર પાડવા માટે પાકિસ્તાન શીખ કમિટીએ મંજૂરી આપી દીધી છે.ભારતના પંજાબના ડેરા નાનક ગુરુદ્વારા  અને પાકિસ્તાનના ગુરુદ્વારા સાહેબ કરતારપુર સાહેબને જોડતો  કરતારપુર કોરિડોર વહેલી તકે શરૂ થઇ જાય તેવી આશા સેવાઈ રહી છે.

(12:36 pm IST)