Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

''જનતા રાજા'': ભારતમાં મરાઠા સામ્રાજયના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના જીવન ઉપર આધારિત નાટકઃ યુ.એસ.ના હયુસ્ટનમાં ૯ માર્ચ ૨૦૧૯ના રોજ ભજવાશેઃ હયુસ્ટન મહારાષ્ટ્ર મંડળનું બેનમૂન આયોજન

હયુસ્ટનઃ પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજયના સ્થાપક છત્રપતિ શિવાજીના જીવન ઉપર આધારિત નાટક ''જનતા રાજા''યુ.એસ.ના હયુસ્ટનમાં ૯ માર્ચ ૨૦૧૯ના રોજ ભજવાશે.

સ્ટેફોર્ડ સેન્ટર,કેશ રોડ, હયુસ્ટન મુકામે ''હયુસ્ટન મહારાષ્ટ્ર મંડલ (HMM)''આયોજીત આ નાટય પ્રોગ્રામનો હેતુ છત્રપતિ શિવાજી મહારાજના સંઘર્ષ અને હિન્દુ રાજયની સ્થાપનાના પ્રસંગોથી ભારતીયોને વાકેફગાર કરવાનો છે. આ નાટકમાં ૧૦૦ જેટલા કલાકારો અભિનય આપવાના છે.

આ નાટકના લેખક મહારાષ્ટ્ર સ્ટેટના લોકપ્રિય ઇતિહાસ વિદ શ્રી બાબાસાહેબ પુરાંદરે છે. જેઓના તાજેતરમાં ઉજવાયેલા ભારતના પ્રજાસત્તાક પર્વ દિવસે પદમશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ નાટકના અત્યાર સુધીમાં મરાઠી તથા હિન્દી ભાષામાં ૧૨૫૦ જેટલા શો ઉજવાઇ ગયા છે. આ નાટકને અત્યાર સુધીમાં ૮ લાખ ઉપરાંત દર્શકોએ નિહાળ્યુ છે. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:03 pm IST)