Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

થાઇલેન્ડમાં બૌધ મઠ ઉપર ગોળીબારઃ મઠાધિપતિ તથા ઉપમઠાધિપતિ ઠારઃ અન્ય ૨ સાધુઓ પણ ઇજાગ્રસ્ત

થાઇલેન્ડઃ થાઇલેન્ડમાં ૨ બૌધ સાધુઓ ઉપર ગોળીબાર કરી તેમની હત્યા કરાઇ છે. જે પૈકીના એક મઠાધિપતિ હતા તથા બીજા ઉપમઠાધિપતિ હતા. ઉપરાંત અન્ય ૨ સાધુઓને પણ ઇજાઓ થઇ છે. જે તમામ બૌધ મંદિરમાં હતા ત્યારે ઉપરોકત ઘટના ગઇકાલે શુક્રવારે બનવા પામી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાઇમ મિનીસ્ટરએ તુરંત આ ઘટનાની તપાસના આદેશો આપ્યા છે. મુસ્લિમ આગેવાનોએ પણ આ ઘટનાને વખોડી કાઢી છે.

(8:25 pm IST)