Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

દુબઇ વેરહાઉસમાં આગ લાગતા અનેક ભારતીયોનો સામાન બળીને ખાખ : ઘરવખરી તથા કિંમતી વસ્તુઓ વતનમાં મોકલવા માટે ચૂકવેલા હજારો દિરહામનું નુકશાન : મોટા ભાગના ભારતીયો કેરળના વતની હોવાથી કેરળ હાઇકોર્ટમાં દાવો દાખલ કર્યો

કેરળ : દુબઈમાં સ્થાઈ થયેલા અનેક ભારતીયોએ  કોવિદ -19 ના કારણે નોકરી ગુમાવતા વતનમાં પરત ફરવાની નોબત આવી હતી.આથી તેઓએ પોતાની ઘરવખરી વતનમાં મોકલવા માટે હજારો દિરહામ ચૂકવી પોતાનો સામાન વેરહાઉસને સોંપ્યો હતો.પરંતુ વેરહાઉસમાં આગ લાગવાથી આ સામાન બળીને ખાખ થઇ ગયો હતો.ઉપરાંત સામાન વતનમાં મોકલવાના ભાડા પેટે ચૂકવેલા હજારો દિરહામ પણ ગુમાવવા પડ્યા હતા.

આ ભારતીયોમાં મોટા ભાગના કેરળના વતની હોવાથી તેઓએ કેરળ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.અને પોતાને થયેલા નુક્શાનનું વળતર મળે તે માટે  કેન્દ્ર સરકાર દ્વારા પગલાં લેવામાં આવે તેવી  અરજ કરાઈ છે.
ઘણા ભારતીયો એવા પણ છે જેઓ હજુ દુબઈમાં જ છે અને પોતે કરેલી મહેનતની કમાણીમાંથી વતન સ્થિત પરિવારને કિંમતી વસ્તુઓ મોકલાવી હતી.આથી કેરળ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી ઘટ્તું કરવા જણાવતા કેન્દ્ર સરકારે અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસને યોગ્ય કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું છે તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:00 pm IST)