Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

"રઘુપતિ રાઘવ રાજારામ" : જર્મનીના ટ્રાયરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ : 150 માં જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિતે કરાયેલા આયોજનમાં ભારતના રાજદૂત શ્રી મુકતા ડી.તોમર, ટ્રાયર મેયર,તેમજ ભારતીય કોમ્યુનિટી અગ્રણીઓએ હાજરી આપી

જર્મની :  મહાત્મા ગાંધીના 150 માં જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિતે જર્મનીના ટ્રાયરમાં આજ  રોજ ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું

 રઘુપતિ રાઘવ રાજારામ ભજન સાથે ખુલ્લી મુકાયેલી અર્ધ પ્રતિમા પ્રસંગે જર્મની ખાતેના ભારતના રાજદૂત શરૂ મુકતા ડી.તોમર,તેમજ ટ્રાયર મેયર તેમજ ભારતીય કોમ્યુનિટીના અગ્રણીઓ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

 ટ્રાયર મેયરએ સહુનું સ્વાગત કરી મહાત્મા ગાંધીની પ્રતિમા મોકલવા બદલ ભારત દેશનો આભાર માન્યો હતો.તથા ભારત અને જર્મની વચ્ચેના ગાઢ સબંધોનો ઉલ્લેખ કર્યો હતો.ભારતના રાજદૂત શ્રી તોમરએ મહાત્મા ગાંધીના જીવન વિષે ઉદબોધન કરી તેમના સત્ય અને અહિંસાના સિદ્ધાંતોની સમજણ આપી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:43 am IST)