Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

બાંગલાદેશમાં ધર્મ પરિવર્તન કરી મુસ્‍લિમ બનેલી હિન્‍દુ મહિલાના મૃતદેહને દફનાવવો કે અગ્નિ સંસ્‍કાર કરવા?: ૪ વર્ષ સુધી ચાલેલા કોર્ટ કેસના અંતે મહિલાને મૃતક પતિની કબર પાસે દફનાવવાનો કોર્ટનો હુકમ

ઢાકાઃ બાંગલાદેશમાં હિન્‍દુ મહિલાએ ૨૦૧૩ની સાલમાં મુસ્‍લિમ પુરૂષ સાથે લગ્ન કરી મુસ્‍લિમ ધર્મ અંગીકાર કરી લીધો હતો. પરંતુ તેના પરિવાર દ્વારા સખત વિરોધ થતા મુસ્‍લિમ પતિ વિરૂધ્‍ધ અપહરણનો કેસ નોંધાયો હતો. તથા છૂટાછેડાની માંગણી કરાઇ હતી. આ વિવાદથી તંગ આવી ગયેલા મુસ્‍લિમ પતિએ ૨૦૧૪ની સાલમાં આત્‍મહત્‍યા કરી લીધી હતી. ત્‍યારપછીના બેજ માસમાં તેની હિન્‍દુ પત્‍નીએ પણ ઝેર ખાઇ જીવનનો અંત આણી દીધો હતો.

હવે આ હિન્‍દુમાંથી મુસ્‍લિમ બનેલી મહિલાનો અગ્નિ સંસ્‍કાર કરવાની માંગણી તેના પરિવારે કરી હતી. જેઓની માંગણઈ મુજબ મહિલાએ ફરીથી હિન્‍દુ ધર્મ અંગીકાર કરી લીધો હતો. જયારે મુસ્‍લિમ મૃતક પતિના પરિવાર દ્વારા હિન્‍દુમાંથી મુસ્‍લિમ બની ગયેલી પત્‍નીને તેના પતિની કબર પાસે દફનાવવાની માંગણી કરી હતી. આ ૨૦૧૪ની સાલની ઘટનાનો ચૂકાદો હવે ૨૦૧૮ની સાલમાં કોર્ટએ આપી દઇ મહિલાને તેના પતિની કબરની બાજુમાં દફનાવવાનો હુકમ કયો૪ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે ઉલ્લેખનીય છે કે બાંગલા દેશમાં ૯૦ ટકા વસતિ મુસ્‍લિમ જયારે ૧૦ ટકા વસતિ હિન્‍દુઓની છે.    

(9:26 pm IST)