Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

યુ.એસ.માં મંગલ મંદિર, મેરીલેન્ડ, મુકામે ૨૩ સપ્ટેં.થી ૨૭ સપ્ટેં.૨૦૧૯ દરમિયાન ''શ્રીમદ ભાગવત કથા'': પૂજય સ્વામી નલિનાનંદજીના વ્યાસાસને ગોકર્ણ ગીતાનું રસપાન કરવાનો લહાવોઃ ૨૯ સપ્ટેં.થી ૭ ઓકટો.૨૦૧૯ દરમિયાન ''નવરાત્રિ મહોત્સવ'' ઉજવાશે

મેરીલેન્ડઃ યુ.એસ.માં મંગલ મંદિર, ૧૭૧૧૦, ન્યુ હેમ્પશાયર એવન્યુ, એશટોન, મેરીલેન્ડ મુકામે, ૨૩ સપ્ટેં.થી ૨૭ સપ્ટેં. ૨૦૧૯ દરમિાયન 'શ્રીમદ ભાગવત કથા'નું આયોજન કરાયું છે જેના વ્યાસાસને પૂજય સ્વામી નલિનાનંદ ગિરિજી મહારાજ બિરાજમાન થઇ ગોકર્ણ ગીતાનું રસપાન કરાવશે.

બાદમાં ૨૯ સપ્ટેં.થી ૭ ઓકટો. ૨૦૧૯ દરમિયાન નવરાત્રિ ઉત્સવ ઉજવાશે. જે અંતર્ગત દરરોજ સાંજે ૭ થી ૮ વાગ્યા દરમિયાન દુર્ગા માતાજીની પૂજા તથા સ્તુતિ પાઠ કરાશે. ઉત્સવ અંગેની વિશેષ વિગત મંદિરની વેબસાઇટ www.mangalmandir.org/navratri-mahotsav દ્વારા મેળવી શકાશે. મંદિરનો કોન્ટેક નં. (૩૦૧)૪૨૧-૦૯૮૫ છે. તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(7:18 pm IST)