Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

‘‘રથયાત્રા'': યુ.એસ.માં ઇસ્‍કોન ટેમ્‍પલ, બર્કલેના ઉપક્રમે ૧૯ ઓગ.રવિવારના રોજ કરાયેલું આયોજનઃ ભગવાન જગન્‍નાથજી, બલભદ્રજી, તથા સુભદ્રાજીના રથને ખેંચવાનો લહાવો

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ઇસ્‍કોન ટેમ્‍પલ બર્કલેના ઉપક્રમે ૧૯ ઓગ.૨૦૧૮ રવિવારના રોજ રથયાત્રા યોજાશે. ગોલ્‍ડન ગેઇટ પાર્ક, સાન ફ્રાન્‍સિસ્‍કો, કેલિફોર્નિયા મુકામે યોજાનારી રથયાત્રાનો સમય સવારે ૧૧ વાગ્‍યાનો રહેશે. જે અંતર્ગત ભગવાન જગન્‍નાથજી, બલભદ્રજી, તથા સુભદ્રાજીના રથને દોરડાથી ખેંચવાનો લહાવો મળશે. સાંસ્‍કૃતિક કાર્યક્રમો ડાન્‍સ, પ્રદર્શન ફ્રી વેજીટેરીઅન ફીસ્‍ટ સહિતના આયોજનમાં જોડાવા તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ છે. વિશેષ માહિતી માટે કોન્‍ટેક નં.(૫૧૦)૫૪૦-૯૨૧૫ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

(9:03 pm IST)